Wednesday 31 August 2011

Poem for Commerce Students..

"tqvt-AtkJt
(JttrKtrsgtf Ntc'tulttu vt{gttudt)


એક ઉતરેલો ચેહરો
હવાઇ ગયેલા ફટાકડાંની જેમ
બનાવે છે મને નિષ્ક્રીય.
છલોછલ હોઉં છતાં
અનુભવાય છે કશાકની અછત.
ઘટે છે ઉત્સાહનો પુરવઠો
ને નીચા ઉતરી જાય છે
આનંદના સઘળા સરેરાશ મૂલ્યો.
એવામાં મળે છે એક આછેરું સ્મિત જ્યારે,
અવલોકનની ભૂલથી ગણાયેલો
ખોટો દાખલોય ઉકલી જાય છે ત્યારે..
ને સંબંધોના સરવૈયામાં જમા થાય છે
જીવન જીવવાનુ નવું ખાતું.
હસતાં ચેહેરાઓના પાનેથી
બધુય આવક પેટે નોંધાય છે
જીવનની પાસબૂકમાં.
સરભર બની જાય છે આવક,ખર્ચ અને દેવાં.
- પણ,
પવનની જેમ બદલાતી આ દુનિયાએ
ભીતર રાખ્યો છે એક રંજ...
રોજ દેખાતા ચહેરાઓની માહિતીમાં
હસતો ચહેરો
બહુલક યા ઉઘડતી સિલક બનીને તો રહેશેને ?!

- ડો.વિજય પટેલ

Sunday 28 August 2011

My view-1


સમયને રિવર્સ ગીયર નથી હોતું !


       આરતીને તેના બોસે સ્પષ્ટ સંભળાવી દીધું હતું- 'પગાર વધારો જોઇતો હોય તો આવડ્ત કેળવો..તમને અંગ્રેજી બરાબર ફાવતું નથી, ગણ્તરીમાં મુશકેલી પડે છે...એક માત્ર અક્ષર સારા હોવાથી શુ વળે ?' બોસના ગાયા પછી ટેબલ પાસે બેઠેલી આરતીને બાર વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ આવી ગયો હતો..
        વર્ગમાં તેના શિક્ષકે કહેલું કે- 'જમાનો સ્કીલ્સ (આવડતનો) છે..વાતો કરવામાં ને ફરવામાં ટાઇમ બરબાદ ન કરતાં..!' પણ એ વખતે આવી વાતો કોણ સાંભળતું હતું? આજે આરતી નિરાશ હતી. નોકરી અને ગૃહસ્થી કામકાજ સાથે હવે 'ભણવા'નો વિચાર તે અમલમાં મૂકી શકે તેવી સ્થિતિમાં જ નહોતી.
        એટલે જ યાદ રાખજો, વીતેલો સમય પાછો લાવી શકાતો નથી. સમયરૂપી ગાડીને 'રિવર્સ' ગિયર હોતું નથી !

Friday 26 August 2011

A Letter to Dr Mannohansinh



ડૉ.મનમોહનસિંઘને એક શિક્ષકનો ખુલ્લો પત્ર...

- ડો.વિજય એમ.પટેલ
M.com.,  Ph.D.(Edu.), PGJMC.
આદરણીયશ્રી,

        અર્થશાસ્ત્રના શિક્ષક તરીકે તમારા જેવા પ્રબુદ્ધ સજ્જન વિશે હું મનોમન ગર્વ મહેસૂસ કરતો હતો. આર્થિક સુધારાઓ વિશે ભણાવતી વખતે તમારી પ્રતિભાને હું વર્ગમાં લાવીને વખાણતા થાકતો નહોતો. શાંત, સૌમ્ય, ને સાદાઇના તમારા ગુણોએ મને જ નહિ સૌને આકર્ષ્યા હતા. પણ હવે એ ગર્વ અને ઉમળકો મારામાંથી જાણે ઓસરી રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં તમે ઓછું યોગદાન આપ્યુ છે એમ કહું તો હું ઘમંડી ગણાઇશ, પણ હવે એમ કહેવાનું રોકી નથી શકતો કે ' વિદ્વાન માણસોના મૌન ' કંઇ કેટલાય લોકોને હતાશાની ગર્તામાં ધકેલે છે !
        જેમ રાધાક્રિષ્ણન શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા એમાં શિક્ષક સમાજ ગૌરવાન્વિત બન્યો, તેમ અર્થશાસ્ત્રીમાંથી તમે વડાપ્રધાન બન્યા એ અર્થશાસ્ત્રના શિક્ષકો કે વિધ્યાર્થીઓ માટે ગૌરવવંતી ઘટના ગણાય. અને એનો મને પણ આનંદ જ હોય. પણ વડાપ્રધાન બન્યા પછી તમારા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેમ અર્થતંત્રમાંથી ગૂમ થઇ ગયા તે સમજાતું નથી. દેશમાથી અધધ નાણું વિદેશમાં ગયું એ કઇં એક વર્ષની ઘટના તો ન જ હોય ને ? તમે રિઝર્વ બેન્ક ના ગવર્નર હતા ત્યારે આ બાબત વિશે તમે કઇં જ નહોતું વિચાર્યું ? માની લો કે તે વખતે તમારી પાસે રાજકીય સત્તા નહોતી એટ્લે તમે કશું કરી શકો તેમ નહોતા. પણ આ તો તમારા રાજમાં કલમાડી, રાજા જેવા તમારા જ સાથીઓએ ભ્રસ્ટાચારની હોડ લગાવી દીધી ને તોયે વડાપ્રધાનજી તમે તો ' સાયલન્ટ મોડ ' જ બની રહ્યાં.!
        રાજકીય નેતા તરીકે તમે વિદ્ધાન, પ્રામાણિક અને ભ્રષ્ટાચારથી દૂર રહેનારા બનવાનો પ્રયત્ન કર્યો એ તમારા ઊજળા પાસા પ્રત્યે મને આદર રહ્યો છે, પણ તમારા આ ગુણોનો પ્રભાવ તમે તમારા સાથીઓ પર પણ પાડી ન શક્યા ? તો પછી આવા વ્યક્તિત્વથી સમાજ અને દેશને કેટલો લાભ થયો ? ભ્રષ્ટાચારને નાથીને દેશની કલંકરૂપ ગરીબીને નાથવામાં તમારી રાજકીય સત્તાનો ઉપયોગ કરવાને બદલે તમે તો કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારાઓને જ દબાવી દેવાના સહયોગી બની ગયા !! તમારી સજ્જનતા પ્રત્યે મારી આસ્થા અહીં જ ખંડિત થઈ છે ગુરુજી.
        એક વિધ્યાર્થીએ તો ટકોર કરી કે સર, તમે અર્થશાસ્ત્ર ભણાવતી વખતે કેટલું બોલ બોલ કરો છો, ને વિદ્ધાન અર્થશાસ્ત્રી મનમોહનજી તો કઇં બોલતા જ નથી ! મે મારા પર જ વ્યંગ કરી તેને સમજાવ્યો કે ' અધૂરો ઘડો છલકાય ઘણો !' પણ હું મનોમન વિચારી રહ્યો હતો કે છલોછલ ભરેલો ઘડો પણ જો ખૂણામાં પડી રહે તો ગંધાઇ નહીં રહે ?! માફ કરજો સર, જો મારાથી ખોટું કહેવાઈ ગયું હોય તો.
        વિદેશમાં તમે ઘણા લોકપ્રિય છો એ વાત ખરી પણ ઘરના લોકોને સ્વચ્છ અને ન્યાયી વહિવટ આપવામાં તમે શું કર્યુ તેની યાદી જડતી નથી ! મારા શિક્ષકો અને કુશળ વક્તાઓ કહેતા રહે છે કે knowledge is power, તમે તો પ્રખર અર્થશાસ્ત્રી અને વડાપ્રધાન છો અર્થાત જ્ઞાન અને શક્તિ બન્નેના સમન્વયરૂપ છો છતાં તમારા રાજમાં knowledge ને બદલે Money power ની જ બોલબાલા વધી ગઇ ! તમે સંસદીય લોકશાહી અને બંધારણને બચાવવાની વાત કરો છો પણ ભ્રસ્ટાચાર કે કાળા નાણાને નાથવા માટે બંધારણમાં ફેરફાર કરવાનો વિચાર સુદ્ધા કરતાં નથી. આવી લાચારી મારા જેવા અનેક ભારતવાસીઓને ગળે ડૂમો બની ગઇ છે.
        વાતને ટૂંકાવીને કહું તો ભ્રષ્ટ અને અઠંગ રાજકરણીઓ વચ્ચે તમે ' સ્વચ્છ અને નિર્મળ ' નહિ રહી શકો એવું શું અમારે માની જ લેવાનું ને સર ? ખેર, હું તો એક સામાન્ય નાગરિક છું, ઝાઝુ યોગદાન ન આપી શકું પણ પછી તમે પણ એવી અપેક્ષા ન રાખતા કે શિક્ષક ' સ્વચ્છ ' જ હોવો જોઇએ ! ઘડીક વિચારજો કે બધા લોકોનો તમારા જેવા સજ્જન માણસમાંથી વિશ્વાસ ઉઠી જશે તો દેશની હાલત શું થશે ? ડો.મનમોહનજી, તમારા વ્યક્તિત્વ અને વડાપ્રધાન પદની ગરિમા વિશે લખવાની એક સામાન્ય નાગરિક્ની હેસિયત શું હોઇ શકે ? પણ શિક્ષક છું, દંભી બની રહેવા કરતાં નિખાલસતાથી કડવી વાત કહી દેવી અમારો ધર્મ છે. એટલે નાના મોઢે મોટી વાત થઇ ગઇ હોય તો ક્ષમ્ય ગણશો. જય હિન્દ !!
                                                                                           
                                                                                            - લિ. આપનો વિશ્વાસુ,

Thursday 25 August 2011

Opinion


તમારા વિચારોને વિસ્તારો..


મિત્રો,
શું તમને લાગે છે કે અણ્ણા હજારે ટીમ દ્વારા ચલાવાઈ રહેલું ભ્રસ્ટાચાર વિરોધી આંદોલન યોગ્ય છે. એક સામાન્ય નાગરિક તરીકે તમને શું લાભ થઈ શકે ? રાજકારણમાં પરીવર્તન લાવવા તમને કયા ઉપાયો સૂઝે છે ? વિચારો અને લખીને Share કરો. એ પણ તમારું યોગદાન જ ગણાશે..તો લખો નીચે comment માં..

Wednesday 24 August 2011

My Poem


વલોપાત



બાળકના રૂદનથી
દાદીએ ડોકિયું કર્યું
વહુના ઓરડે.
ખોળે બાળક નહિ
રમતું હતું Laptop !


Dr.Vijay Patel

Monday 22 August 2011

Happy Birthday Krishna !

This is the law of the nature that when the balanced state disturbed in the world, human Mind (Mana), Consciousness (Chitt) and power of Discrimination (Buddhi) are covered with ego (Ahankaar), people have become selfish and fighting for self interest of solid materialism, the grossness prevails every where…it is proclaimed in Bhagavada Geeta :

 
यदा यदा हि धर्मस्य ग्लनिर्भवति भारत ।
 अभ्युत्थानम् धर्मस्य तदत्मान् सुजाम्यहम् ॥

Saturday 20 August 2011

Importance of Study


જીવનમાં શા માટે ભણવું જરૂરી છે સર ?




એક વિધ્યાર્થીએ પૂછેલાં આવા પ્રશ્નના સંદર્ભમાં વિચારતાં મને આ મુદ્દા સુઝ્યા છે:

1) શાળા-કોલેજમાં અપાતાં શિક્ષણનો એક હેતુ વિધ્યાર્થીને કોઇ આવડત (skill) માટે તૈયાર કરવાનો છે. જેમ કે, બી.કોમ કરવાથી હિસાબ લખવાની આવડત વિકસે, ડિપ્લોમા કરવાથી ઇજનેરી કામોમાં કુશળતા આવે વગેરે. ટૂંકમાં કહીએ તો વ્યક્તિને કોઇ આર્થિક પ્રવુતિ માટે તૈયાર કરવાનો છે.

2) બીજો હેતુ સમજુ અને વિચારશીલ નાગરિક તૈયાર કરવાનો છે. જેમ કે સમાજવિધ્યા કે પર્યાવરણ જેવા વિષયો આવડત શીખવતા નથી પણ જીવનમાં અનુશાસન, શિષ્ટાચાર અને સભ્યતા તરફ વિધ્યાર્થીને જાગૃત રાખે  છે.

3) ત્રીજો હેતુ વિધ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાનો છે. ચિત્રકલા, સંગીત, નૃત્ય, ભાષા જેવા વિષયો શીખવાથી આવડત તો વધે પણ સાથે માનસિક સંતોષનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવાય છે. વિધ્યાર્થી સર્જનશીલ વિચારો થકી નિજાનંદ પ્રાપ્ત કરે છે.

મિત્રો, હવે આપને સમજાશે કે શિક્ષણ શા માટે આજીવન ચાલતી પ્રક્રિયા છે..એટલે જ ભણતાં રહીએ રે ભાઇ  ભણતાં રહીએ......

QUIZ - 1


     ढूंढ्ते रह जाओगे...!



ધારોકે, એક બેન્ક ગ્રાહક પોતાના ખાતામાંની 100 રૂપિયાની ડિપોઝિટમાંથી નીચે મુજબ ઉપાડ કરે છે:
                ઉપાડ રૂ.                   બાકી રૂ
                  50                             50
                              25                             25            
                  10                             15
                  08                             07
                              05                             02            
                  02                             00
                  100                           99

શા માટે બંને બાજુનો સરવાળો સરખો થતો નથી ? વિચારો. આપનો ઉત્તર નીચે Comment માં લખો. ઉત્તર ન મળે તો Comment માં તમારું ઇ-મેઇલ લખી મોકલો.

Tuesday 16 August 2011

My Poem

મારી વધુ એક રચના :


ઝાકળ જેવા બૂંદ અમે,
અડકો ને ઘડીમાં ખરી પડીએ !

સાવ નિરાળા દોસ્ત અમે,
હસતાં હસતાં રડી લઇએ !

નમણી આંખની નજાકત અમે,
નજર મેળવોને ઢળી પડીએ !

કોરા કાગળંનો અવકાશ અમે,
સ્મિત આપો ને રંગો ભરી દઇએ !


We are drops just like dew:
the moment you touch,
we fall down!

We are friends, cast in different clay;
we cry
even while laughing!

We are daintiness
of tender eyes
We collapse
if our eyes meet!

We are the blank space
of a page
you smile
and we fill in the colours!

Translated by : Falguni Sheth



Saturday 13 August 2011

Lokpaal Bill Movement

Friends,
The Hot days are coming in Indian Politics..Anna Hazare team is going on fasting for the Lokpaal Bill..If you are Indian, you should take interest in it and participate as possible as u can. Read what i write..




પ્રજા:          
આ તમે લોકો શું લઈ ને  બેઠા છો ?
અણણાજી:
કેમ ? દેશમાંથી ભ્રસ્ટાચાર દૂર થાય તેમાં લોકોનું ભલું નથી ?
પ્રજા:
એ તો બરાબર છે પણ તેમાં તમે દેશની સ્થિર સરકારને ડોલાવવાની ફેરવી કરો છો..
કજરીવાલ:
સરકારને નહીં ડોલાવીશું તો તે તમને સૌને નાચ નચાવ્યા કરશે !
પ્રજા:
કઈ નહીં અમને તો નાચવાની બહુ મજા આવશે !!
કિરણજી:      
જુઓ, મજાક ના સમજો..તમારી આવનારી પેઢીને ભ્રસ્ટાચાર મુક્ત એવા સ્વચ્છ વહીવટનો લાભ મળશે.
પ્રજા:
(વચ્ચેથી જ ) ભવિષ્યની ચિંતા છોડો ને યાર..વર્તમાન જ સુધારો તો બસ..
અણણાજી:

હં .. હવે સમજ્યા તમે.. પણ આજને સુધારવા અમે એકલા ઉપવાસ કરીશું ? ને તમે બધા મોજમજા કરશો ?    
પ્રજા:
(સંકોચાતા) સોરી, અમારો આવો આશય નહોતો..
અગ્નિવેશ:
તો પછી ટીકાટિપ્પણી છોડીને અમને સાથ આપોને..
પ્રજા:
પણ અમે બધા દિલ્લી નહીં આવી શકીએને.!
કજરીવાલ:
બધાએ આવવાની જરૂર નથી. તમે જયાં રહો છો ત્યાં ભ્રસ્ટચાર મિટાવવા માટેના લોકપાલ બિલનું સમર્થન કરો.
પ્રજા:
પણ ભાઈ અમને ડર લાગે છે.
કિરણજી:
શાનો ? પોલિસનો ? સત્તાનો ? કે પોતાની જાતથી ડરો છો ?
પ્રજા:
પણ આમાં અમને શું ફાયદો થાય ?
કજરીવાલ:
પ્રત્યક્ષ ફાયદો ન જોવાય. ભ્રસ્તાચાર દૂર થશે તો આર્થિક-સામાજિક અસમાનતા દૂર થશે. આવનારો સમાજ સાચા અર્થમાં સુખ-સુવિધા-શાંતિનો અનુભવ કરશે.
અણણાજી:
તમારી લાભ ખાટવાની વૃત્તિએ જ આવા ભ્રસ્ટાચારને પોષ્યો છે.. હવે તો કઈક બીજા માટે વિચારો.!?
પ્રજા:
ઠીક છે તમે કહો છો તો..
સમગ્ર લોકપાલ ટીમ:
હે પ્રજા ! તું આડે માર્ગે ભટ્ક્વાને બદલે એક બનીને આસુરી શક્તિ પર વિજય મેળવવા પ્રયત્ન કર...કૃષ્ણનો અવતાર બનીને આ જન્માષ્ટમીને સાર્થક કર...ઊઠ, જાગ, ને સુદર્શન ચક્ર ધારણ કર..!!


Friday 12 August 2011

A Drop !


ધીમે સરકતું
આંસુ
ગાલ પર થંભી ગયું
ઘડીભર,
દૂ...ર....
પડું પડું થતાં
ઝાકળબિંદુને જોઈને...!

- ડો.વિજય પટેલ 

a tear,
slowly creeping down,
stopped on a cheek
for a while,
seeing afar
a dewdrop..!
about to fall..!

Translated by: Falguni Sheth

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...